Sunday, September 8, 2013

મારો અગીયારમો પત્ર


પ્રિય પપ્પા..
મને ખબર છે કે તમે મારા મેઇલ અને મારી ફ્રેન્ડ સાથે ના ચેટ વાંચી લીધા છે.. પપ્પા તમે મને કંઇ જ ન કહ્યુ ..પણ હા ચુપ થઇ ગયા છો કે મારી દીકરી નેટ પર બેસીને આ બધુ શું કરે છે ? મને પહેલા તો તમારી પર ગુસ્સો આવ્યો કે તમે મારુ લેપટોપ ચેક કેવી રીતે કરી શકો ? તમને શું હક્ક છે મારા ચેટ વાંચવાનો ? પણ મારી મિત્ર ને મે બધુ કહ્યુ તો એણે કહ્યુ "સાંભળ , એ તારા માતા પિતા છે અને એમને બધો હક્ક છે.. " પછી મે પણ આ બાબતે વિચાર કર્યો. તો મને લાગ્યુ કે હા વાત તો સાચી છે.. પણ ૨૮ વર્ષની દીકરી નાં મેઇલ???? મારા મગજ માં હજી વાત નથી બેસતી .. જો હું પરણેલી હોત તો ? તમને શું ખબર હોત, કે હું શું કરુ છુ ? આ તો મારા લગ્ન નથી થયા એટલે તમે જોયુ.. પણ પપ્પા તમને નથી લાગતુ કે તમે આ જે કર્યુ એ ખોટુ કર્યું. જુવાન દીકરી , હવે તો હુ જુવાની મા પણ નથી રહી ..દીકરી નાં લેપટોપ ને હાથ ન જ અડાડાય.ચલો હવે વાંચી જ લીધુ છે તો એનો પણ ખુલાસો કરી લઉ.. તમે મને હજારો વાર પુછ્યું છે કે " જો કોઇ સાથે પ્રેમ હોય તો મને કહી દે " મે હંમેશ ના પાડી છે . પણ પપ્પા તમને નથી લાગતુ જ્યારે તમને મારી માટે છોકરો ન મળ્યો ત્યારે તમે મને પુછ્યુ.. આ જ વાત જ્યારે હુ ૨૨ વર્ષની હતી ત્યારે પુછ્યુ હોત તો કદાચ મારા લગ્ન થઇ ગયા. પણ તમે ત્યારે તમારા સિધ્ધાંત નાં પાક્કા હતા કે બીજી નાતનો છોકરો લઈ આવીશ તો હુ પોતે પણ મરી જઇશ અને તને પણ મારી નાંખીશ્.. પપ્પા હુ તો એ છોકરા સાથે અમેરીકા ચાલી ગઈ હોત તો તમે મને ક્યાં કાંઇ કરી શકવાનાં હતા પણ તમને દુખી કરીને મારે ઘર નહોતુ વસાવવુ..એટલે મે એ વિચાર એક બાજુ મુકી દીધો પણ મારી કોલેજનાં એ ક્રીસ્ચન છોકરા જેવો હોંશિયાર છોકરો મને ક્યાંય ન મળ્યો..કોલેજ પુરી થઇ . ઘરે બેસવાનું હતુ .. ધીરે ધીરે હું તમારી સાથે તમારી ઓફીસે આવવા લાગી ..ત્યાં મન પરોવવાની કોશિશ કરી પણ કાંઇ ગમતુ ન હતુ.. રાત પડે એટલે રોજ એકલવાયુ લાગે. કંઇ ગમે નહી . એક વાર ફેસબુક માં એક મિત્ર મળી , મિત્રતા વધતી ગઈ .. તે બે બચ્ચાઓ ની માતા હતી.તેણે મને બહુ પ્રેમ આપ્યોં. એક સખી તરીકે , મારા કરતા તે દસ વર્ષ મોટી હતી .. મારા મનની બધી વાતો તે જાણી ગઈ .. મારી એકલતા ને પણ ઓળખી ગઇ.. હવે અમે વીડીયો પર ચેટ કરવા લાગ્યાં. એણે એક વાર મને ચેટમાં કીસ કરી . ને અમારો સંબંધ આગળ વધ્યો.. ને હવે તમે આજે વાંચી જ લીધુ કે કેટલો આગળ વધ્યો. પણ પપ્પા મને કહો એ, સાત સમુંદર પાર રહે છે અમે ક્યારેય મળી પણ નથી શકવાનાં. એ પણ અમને ખબર છે .પણ જો એનાં સાથ થી મારા મન મગજ ને શાંતી મળતી હોય તો એમાં દુનિયાને શું વાંધો છે ? કેટલાયે દેશોમાં તો આવા લગ્ન પણ કાયદેસર બની ગયા છે. પણ આપણૂ ભારત શું કામ આ વાતને સ્વીકારતુ નથી ? હું એક જ વિનંતી કરીશ કે જ્યાં સુધી તમે મારી માટે છોકરો ગોતી ન લ્યો મને પરણાવી ન દ્યો ત્યાં સુધી મને મારી રીતે જીવવા દ્યો અને મને ખુશ રહેવા દ્યો..
તમારી દીકરી

Sunday, September 1, 2013

મારો દસમો પત્ર



માનનિય  વકીલો ( ખાસ આસારામ નાં વકીલ  )

  હા આપની કલા  માટે, આપની ડીગ્રી માટે  અમને માન છે , પણ  એક વાત કહુ , આપ સર્વે જ્યારે કેસ લડો છો ત્યારે કઇક તો જોતા હશો ને ? કે તમે જેની માટે કેસ લડી રહ્યા છો એ
 સાચા છે કે નહી , તમારા લડવાથી કોઇને કોઇ તક્લીફ તો નથી થતી ને. ચલો કાંઇ નહી જોતા હો તો તમે તમારી આત્માને તો જોતા હશો ને ? કે તમે જે કરો છો એ બરોબર છે કે નહી ? કારણ મને બહુ વાર વિચાર આવે કે ક્યારેક મે ઘરમં  હીટ નાંખ્યુ હોય અને એનાથી કોઇ વાંદા કે કોઇને માર્યા હોય તો મને આખી રાત એમ લાગે કે એ વાંદા મારી ઉપર ફરે છે ને હું સુઇ ન શકુ . તો તમને ક્યારેક તો કંઇક ખોટુ કરતા હો તો વિચાર આવે ને.. આસારામનાં વકીલ ને જરા પણ નહી થતુ હોય કે એક નાની દીકરી સાથે જેણે ખોટુ કર્યું હોય એને બચાવાય કેવી રીતે  ? શું આની માટે જ વકીલ  બન્યા  છો..?  પ્લીસ પોતાનાં ભણતરને આવી રીતે ઉપયોગમાં ન લો.. 
આજે તો વિચાર આવે છે કે બધા વકીલો  એ સાથે મળીને કહેવું જોઇયે કે અમે કોઇ આસારામ નો કેસ નહી લડીયે..જો આટલા વખતથી આસારામ બચે છે તો આવા જ કોઇક વકીલ ને લીધે ને..પ્લીસ અંતરાઅત્મા ને જુવો ને પછી કંઇક કામ કરો.. તો જ દુનિયા બદલશે , કોઇ ક્રુષ્ણ  ઉપરથી નીચે નથી આવવાનાં , એની માટે આપણે જ કંઇક કરવુ પડશે.. કેટ્લુ પણ કમાશો ખાવા માટે સવારનાં બે રોટલી ને રાતનાં બે રોટલી જ જોઇયે છે.. 
                                                 લી નીતા કોટેચા.. 

મારો નવમો પત્ર

ઓહોહોહો ન્યુસચેનલવાળાઓ

   મને વિચાર આવે છે કે તમે કેટલા તૂટેલા હશો  . કારણ હજી તો બે વાત કરો ન કરો ત્યાતો તમે બોલો "હમ લેતે હૈ એક છોટા  સા બ્રેક ," બ્રેક લઇ લઈને તમે સાચ્ચે જ તૂટી ગયા હશો એવું મારું માનવું છે.
   ભાઈ જરા દયામાયા રાખો , ને હેરાન ઓછુ કરો , જ્યારે પણ વધારે ગરમાગરમી વાળા સમાચાર હોય ત્યારે જ તમે વધારે બ્રેક લ્યો . કારણ ત્યારે તમારે વધારે કમાવાનું હોય ને. કોઈક સામાજિક કાર્યકર્તા ને બોલાવો પછી એને સવાલ પૂછો ને જ્યારે એ જબરદસ્ત જવાબ આપતા હોય  ત્યારે તમે કહો “ હમ માફી ચાહતે હૈ પર હમારા વક્ત ખતમ હો ગયા , હમે આપકો યહાં રોકના હોગા.” ભાઈ તારી મરજી થી તારે બોલાવાના હોય ને તારી મરજી થી તારે રોકવાના હોય તો બોલાવે છે શું કામ ? કાલ સાંજ થી તારુ બોલવાનું ચાલુ હતું કે “બારા બજે તક કા વક્ત હૈ અગર બાપુ સામને સે નહિ આયે તો પોલીસ ઉન્હેં ગિરફ્તાર કર લેગી. “લે ન આવ્યા બાપુ સામેથી , ન ગિરફ્તાર થયા. તમેં શું કરી શક્યા ? કેમ સવાલ નથી કરતા કે કેમ પોલીસ ચુપચાપ બેઠી છે .. તમારી તકલીફ એક જ છે કે  તમારી ચેનલના આરોપી તમે જ, ફરિયાદી તમે ને તમે જ જજ.. મૂર્ખા તો અમે જ છીએ કે બેઠા રહીએ તમારી સામે રીમોટ લઈને .. ચાલો જવા દ્યો આ ન્યૂસ ચેનલ એક વ્યસન છે જેમાંથી મુક્ત થવું મુશ્કેલ છે .. પહેલા જ સારું હતું કે સાંજે ૬ વાગે ટીવી શરુ થતું ત્યારે એક વાર સમાચાર પછી ૭.૩૦ વાગે બાતમ્યા ને પછી રાતના ૯ વાગે પાછાં સમાચાર આવતા. પણ હવે શું થાય વ્યસની બની ગયા એટલે ભોગવવું પણ અમારે જ પડશેને.. પણ એક વાત કહી દઉ  કે તમારી પાસે બહુ પાવર છે જેનાથી તમે દુનિયા હલાવી શકો એમ છો તો પ્લીસ  એ પાવર નો ઉપયોગ કરો..

                                                                                   લી એક દર્શક 

Thursday, August 29, 2013

મારો આઠમો પત્ર






આદરણીય સુષ્માસ્વરાજજી 
આખા બીજેપી માં તમે એક છો કે જે અમને ગમો છો..કે જે કોઈ પણ વાત બિન્દાસ બોલી શકે છે.. તો પછી સમજાતું નથી કે આશારામ ( બાપુ) ની વાતમાં તમે કેમ મૌન થઇ ગયા છો ? ક્યાય દેખાતા પણ નથી . સ્ત્રીઓની વાત આવે ત્યારે બીજાનું તો મને નથી ખબર પણ મારું માનવું છે કે જો તમે પાર્ટી ને હિસાબે વિચારવાની બદલીમાં ફક્ત સ્ત્રીઓ માટે સ્ત્રીઓની જેમ વિચારો તો તમારી માટે અમને માન વધશે.. બાકી તમારી મરજી ..નથી કોઈ સંત દેખાતા કે જે એમ કહે કે આશારામ ની સાથે અમે છીએ કે આશારામ ની સાથે અમે નથી . નથી કોઈ અભિનેતાક્યાય લખતા કે કેમ આશારામ હજી ફરે છે ..આમ તો રોજ કંઈક ને કઈક લખતા હોય છે.. મેં ક્યાંક વાંચ્યું હતું કે સમય પર જો મોટા લોકો મૌન રહે તો એમને મોટા માનવા નહિ . તો હવે તો કોઈ જ મોટા નથી રહ્યા એવું લાગે છે. . કારણ બધા જ મૌન છે.. અને જે બે ત્રણ લોકો બોલે છે એની વાત જાણે દીવાલ પર અથડાઈને પાછી આવે છે .. બસ બે મિનીટ બોલીને તે લોકો ચાલ્યા જાય છે ને આશારામ પ્લેન માં લાંબા પગ કરીને સફર કરે છે.. મેરા ભારત મહાન....લી ... એક અદનિ મતદાતા

Tuesday, August 27, 2013

મારો સાતમો પત્ર





જમાઇરાજ

  શું સંબોધન આપુ ? તમે પ્રિય રહ્યા નથી , તમે આદરણીય છો નહી . તમે પોતાના રહ્યા નથી , તમને દીકરી આપી છે એટલે તમને પારકા કહેવાય નહી. તો શું કહુ ? જવા દ્યો વગર સંબોધને કામ ચલાવીયે. બીજુ શું ?

  જ્યારે તમારી સગાઇ  કરી મારી દીકરી સાથે, ત્યારે તમારી વાતો થી હુ કેટલી પ્રભાવીત થઈ હતી , તમને હુ કોઇ પણ વાર તહેવારે કવર આપતી તો તમે હાથમાં પણ ન લેતા, તમે કહેતા તમારી દીકરી ને આપો. મને કંઇ નથી જોઇતુ. લગ્ન કર્યા તો તમે એકદમ કડક શબ્દોમાં કહ્યુ હતુ કે હુ દહેજ લેતો નથી એટલે મહેરબાની કરીને કંઇ ન આપતા. નહી તો હુ બધુ પાછૂ તમારા ઘરે મુકી જઈશ ..ઓહોહોહોહોહોહો..મને તો એમ થયુ કે મારી દીકરી જેટલુ કદાચ જ  કોઇ જ સુખી હશે.. મને બધા કહેતા કે હવે જમાઇનાં પ્રકાર બદલાઇ ગયા છે એ વાત મને ૧૦૦% સાચી લાગવા લાગી હતી , પણ જેમ લગ્ન થાયા ને વર્ષો વિતવા લાગ્યા તમારુ અસલ સ્વરુપ દેખાવા લાગ્યું . તમે તમારા બીઝનેસ માટે મારી પાસે પૈસા લીધા, તમે કહ્યુ કે મમ્મી ને કહે હુ ક્યા રાખવાનો છુ , મે જો લગ્નમાં પણ કંઇ નહોતુ લીધુ તો હવે શું રાખીશ ? અને એ પણ જ્યારે તારા પપ્પા નથી .. થોડા થોડા કરતા ૬ લાખ મે આપી દીધા, હવે તમે કહી દીધુ કે મારો બિઝ્નેસ ન ચાલ્યો તો હું શું કરુ ? ને હવે હું કે મારી દીકરી શું બોલીયે ? તમારો ક્યાં કંઇ વાંક બીઝનેસ માં ખોટ થઈ તો ?

                  પણ મને એ સમજાઇ ગયુ કે જમાઇ નાં પ્રકાર નથી બદલાણા ખાલી દહેજ માંગવાની રીત બદલાઈ ગઈ છે..

   લી એક દીકરી ની મા...

મારો છઠ્ઠો પત્ર.


મારી પ્રિય સખી

કોઈ વાતો એવી હોય કે જે બધાને પૂછી ન શકાય પણ તું મારી પ્રિય સખી છો , આપણે નાનપણથી હારે મોટા થયા. એટલે આપણી વચ્ચે કોઈ વાત છુપી નથી.. સખી મારે એક વાત પાછી એવી પૂછવી છે કે જે કદાચ તને જ પૂછી શકું . પહેલા થોડી વાતો કરી લઉં. મારા સાસરામાં બધા ખૂબ જ સારા છે . મારા સાસુ મને દીકરી ની જેમ ગણે છે . મને હંમેશ કઈ ને કઈ સલાહ આપતા હોય . ત્યાં સુધી કે ઇશારા માં મને પૂછે કે એમાંના દીકરા હારે મને ફાવે છે કે નહિ . રોજ સવારે ઉઠું તો મને આંખ મારીને મારી મસ્તી કરે ને પૂછે કે મારો દીકરો બરોબર છે કે નહિ. મને શરમ આવી જાય પણ એ સાચ્ચે જ સારા છે . ને મને તેઓ ખૂબ જ ગમે છે મારા સસરા પણ બહુ સારા છે . લગ્ન થયા પછી ઓફિસમાં ૮ દિવસ તો વિનય ને આવવા જ ના દીધો , કહ્યું કે વહુ માટે આપણા ઘરનો માહોલ અલગ છે , તું એની સાથે રહે તો એને જરા ઠીક લાગે. પછી હનીમુન માટે ૧૫ દિવસ ગયા .. હું ખૂબ ખુશ છુ. . પણ તોય જે પ્રશ્ન મને મૂંઝવે છે એ મારા સાસુ ને હું નથી પૂછી શકતી . સંકોચ થાય છે એટલે તને પુછુ છુ . જો અમારા બંને વચ્ચે અઠવાડિયામાં ૪ વાર સેક્સ થાય છે. એમ નહિ કહું કે મને નથી ગમતું પણ ડર લાગે છે કે વિનય ને ખાલી આની જ આદત ના પડી જાય . શું લગ્ન જીવન ,સેક્સ સારી રીતે હોય તો જ બરોબર ચાલે ? જો એ ન હોય તો પતિ પત્ની એકબીજાના ને પ્રેમ ના કરે ? ને બીજું એ કે મારે હમણાં બાળક નથી જોઈતું . અત્યાર સુધી તો બધું વિનય સંભાળતો હતો . પણ હવે એ કહે છે કે જો તને બાળક ન જોઈતું હોય તો તેનો રસ્તો હવે તું ગોત. હવે મારા સાસુ ને કેવી રીતે પુછુ કે હું શું પ્રીકોશન લઉં . મને શરમ આવે છે. ક્યારેક એવો વિચાર આવે કે મારા જેવા પ્રશ્નો કેટલીયે સખીઓને થતો હશે ..બધા પાસે તારા જેવી સખી થોડી હોતી હશે ? જલ્દી થી જવાબ આપજે ...હું રાહ જોઇશ.

લી પોતાના જ સવાલોમાં મૂંઝાયેલી તારી સખી

Sunday, August 25, 2013

મારો પાંચમો પત્ર



ભારતદેશ ના બધા જ છાપાનાં , મેગેઝીનો ના ( સ્ત્રી મેગેઝીન છોડીને ) બધા જ તંત્રીઓ
                  આ સાથે જણાવવાનું કે આપ માટે એક ફરિયાદ છે . કે આપ આપના છાપા તો વેચો જ છો , પછી એ જ્ઞાતીનું પુસ્તક હોય તો તેનું લવાજમ તો લ્યો જ છો તો પછી એમાં લખવા વાળા લેખકો કે લેખિકા ઓ ને તેનું વળતર કેમ નથી અપાતું.. તેમના જ લખાણ થી તમારા છાપા કે પુસ્તક ભરાયા છે ને એમને જ કઈ  નહિ ..મોટા લેખકો ને લેખિકાઓ પાસે તો તમારું કઈ જ નથી ચાલતું ત્યાં તો તમે આપો જ છો. નવા લેખકો એ શું ભૂલ કરી છે , તે જરુરથી જણાવશો , તંત્રીઓ ને અમે કહીએ છે તો અમને કહેવામાં આવે છે કે તમારી કૃતિ  છાપીને તમારી પાસેથી અમે લેતા નથી એ જ બસ છે .તમારું નામ તો થાય છે . એમાં એ પાછુ લેખકો પર ઉપકાર કર્યો  હોય એવું લાગે .  તો હવે તો એમ લાગે છે કે જેમને પૈસા ન મળતા હોય એમણે આપવાનું જ બંધ કરવું જોઈએ . જે લોકો હકીકતમાં સેવા ખાતું કરે છે એમને આપવામાં અમને કઈ જ વાંધો નથી પણ જે લોકો લવાજમ લેતા હોય કે પૈસા થી પોતાનું છાપું વેચતા હોય એમને પોતાના હૃદય પર હાથ રાખીને વિચારવું જોઈએ કે શું તે લોકો જે કરી રહ્યા છે એ બરોબર છે ? પેન, કાગળ ,કુરિયર ના કે પછી ઈમેઈલ મોક્લાવીયે તો લાઈટબીલ ના પૈસા તો પડેને .. જો વિચારવા ની ઈચ્છા હોય તો વિચારજો કારણ પબ્લીશર્સ ને તંત્રી ઓ ની પોતાની મરજી જ ચાલે છે .. મેં મારી એક લઘુનવલ કથા એક છાપા માં છપાવા માટે મોકલી, તેમણે કહ્યું હતું કે બહેન બે મહિના પછી જવાબ આપશું , હું બે મહિના શાંત બેઠી રહી. બે મહિના પછી મેં પૂછવાનું શરુ કર્યું તો છ મહીને જવાબ મળ્યો કે બહેન તમારી ફાઈલ અમારાથી ખોવાઈ ગઈ છે .. શું કરી શકી હું ? કઈ જ નહિ. સમસમીને બેસવા સિવાય મારી પાસે કોઈ રસ્તો નહોતો. કારણ મેં ભરોસો રાખ્યો હતો ને એમના પર, એ મારી ભૂલ હતી . આવું બધું થાય છે એટલે જ ઈ-બુક તરફ દુનિયા વળી રહી છે કે જેમાં કમસેકમ લેખકોનું અપમાન તો નથી થતું.. અથવા પોતાના બ્લોગ બનાવા કે જેમાં પૈસા પણ ન પડે અપમાન પણ ન થાય ને પોતાની મરજી પ્રમાણે આપણે એને પબ્લીશ કરી શકીએ. છાપા અને પુસ્તકો બંધ થઇ જાય  એની પહેલા જાગી જાવ ..નહિ તો લેખકોના  ઘરે તમારે આટા મારવા પડશે   હા એક વાત કહેતા ભૂલી ગઈ કે સ્ત્રી મેગેઝીન વાળા ૧૨ મહિનામાં બે વાર્તા છાપે પણ જેવી છાપે કે એમના તરફથી ચેક ને મેગેઝીન તરત આવી જાય..

         લી એક લેખિકા