Saturday, August 24, 2013

મારો ત્રીજો પત્ર.


હે પ્રભુ
  આ જવાબ તમારા સિવાય કોઈ નહિ આપી શકે , જો તમે હો તો મને સમજાવો કે એક સંત કોને કહેવાય ?
કે જેને ગીતાનાં બધા શ્લોક  આવડતા હોય કે પછી જે પણ ધર્મ હોય એમના ગ્રંથનાં શ્લોક આવડતા હોય ને પાછુ એ શ્લોક્ને સમજાવતા વખતે અલગ અલગ પુસ્તકોમાંથી વાંચેલા ઉદાહરણો, અથવા હવે  તો એસ . એમ . એસ પણ ચાલે છે.
તો શું   હું ગીતાનાં બધા શ્લોક પાક્કા કરી લઉ ને આવા ઉદાહરણો પણ  મેળવી ને એક પુસ્ત્ક તૈયાર  કરી લઉ તો મને પણ  લોકો  સ્વામીની કે પછી  સંત કહીને પૂજશે ? મારા પણ પગે લાગશે ને પ્રુથવી પરનાં પરમાત્મા જેવું સ્થાન આપશે ? મારુ પણ ઘર બહારથી કૂટીયા જેવુ ને અંદર થી  આલીશાન હશે ? ૨૫ કદમ જેટલી દુર મારા આશ્રમ થી મારી એ કુટીયા હશે ત્યાં જવા માટે મારી પાસે મોટી કાર હશે ?  કેટલુ સહેલુ છે સંત થાવુ ને. આમ તો
મારી દીકરી પણ બની શકે કારણ એ પણ પરિક્ષા માં જવાને બે દિવસ આગળ
ભણીને હંમેંશ ફસ્ટક્લાસ લઈ આવી છે..કારણ આખરે વાત તો છે કે તમે કોઈ પણ વાત ને બાયાહાર્ટ કરીને વ્યવસ્થિત રીતે પ્રવચન આપી શકો.પ્રભુ, મેં પબલીક્સ્પીકિંગનો કોર્સ પણ કર્યો છે .તો પ્લીસ મને સમજાવશો                                                
                                    લી . સવાલોથી ઘેરાયેલ એક સામાન્ય વ્યક્તિ


No comments:

Post a Comment