માનનિય વકીલો ( ખાસ આસારામ નાં વકીલ )
હા આપની કલા માટે, આપની ડીગ્રી માટે અમને માન છે , પણ એક વાત કહુ , આપ સર્વે જ્યારે કેસ લડો છો ત્યારે કઇક તો જોતા હશો ને ? કે તમે જેની માટે કેસ લડી રહ્યા છો એ
સાચા છે કે ન હી , તમારા લડવાથી કોઇને કોઇ તક્લીફ તો નથી થતી ને. ચલો કાંઇ નહી જોતા હો તો તમે તમારી આત્માને તો જોતા હશો ને ? કે તમે જે કરો છો એ બરોબર છે કે નહી ? કારણ મને બહુ વાર વિચાર આવે કે ક્યારેક મે ઘરમં હીટ નાંખ્યુ હોય અને એનાથી કોઇ વાંદા કે કોઇને માર્યા હોય તો મને આખી રાત એમ લાગે કે એ વાંદા મારી ઉપર ફરે છે ને હું સુઇ ન શકુ . તો તમને ક્યારેક તો કંઇક ખોટુ કરતા હો તો વિચાર આવે ને.. આસારામનાં વકીલ ને જરા પણ નહી થતુ હોય કે એક નાની દીકરી સાથે જેણે ખોટુ કર્યું હોય એને બચાવાય કેવી રીતે ? શું આની માટે જ વકીલ બન્યા છો..? પ્લીસ પોતાનાં ભણતરને આવી રીતે ઉપયોગમાં ન લો..
સાચા છે કે ન
આજે તો વિચાર આવે છે કે બધા વકીલો એ સાથે મળીને કહેવું જોઇયે કે અમે કોઇ આસારામ નો કેસ નહી લડીયે..જો આટલા વખતથી આસારામ બચે છે તો આવા જ કોઇક વકીલ ને લીધે ને..પ્લીસ અંતરાઅત્મા ને જુવો ને પછી કંઇક કામ કરો.. તો જ દુનિયા બદલશે , કોઇ ક્રુષ્ણ ઉપરથી નીચે નથી આવવાનાં , એની માટે આપણે જ કંઇક કરવુ પડશે.. કેટ્લુ પણ કમાશો ખાવા માટે સવારનાં બે રોટલી ને રાતનાં બે રોટલી જ જોઇયે છે..
લી નીતા કોટેચા..
No comments:
Post a Comment