Tuesday, August 27, 2013

મારો સાતમો પત્ર





જમાઇરાજ

  શું સંબોધન આપુ ? તમે પ્રિય રહ્યા નથી , તમે આદરણીય છો નહી . તમે પોતાના રહ્યા નથી , તમને દીકરી આપી છે એટલે તમને પારકા કહેવાય નહી. તો શું કહુ ? જવા દ્યો વગર સંબોધને કામ ચલાવીયે. બીજુ શું ?

  જ્યારે તમારી સગાઇ  કરી મારી દીકરી સાથે, ત્યારે તમારી વાતો થી હુ કેટલી પ્રભાવીત થઈ હતી , તમને હુ કોઇ પણ વાર તહેવારે કવર આપતી તો તમે હાથમાં પણ ન લેતા, તમે કહેતા તમારી દીકરી ને આપો. મને કંઇ નથી જોઇતુ. લગ્ન કર્યા તો તમે એકદમ કડક શબ્દોમાં કહ્યુ હતુ કે હુ દહેજ લેતો નથી એટલે મહેરબાની કરીને કંઇ ન આપતા. નહી તો હુ બધુ પાછૂ તમારા ઘરે મુકી જઈશ ..ઓહોહોહોહોહોહો..મને તો એમ થયુ કે મારી દીકરી જેટલુ કદાચ જ  કોઇ જ સુખી હશે.. મને બધા કહેતા કે હવે જમાઇનાં પ્રકાર બદલાઇ ગયા છે એ વાત મને ૧૦૦% સાચી લાગવા લાગી હતી , પણ જેમ લગ્ન થાયા ને વર્ષો વિતવા લાગ્યા તમારુ અસલ સ્વરુપ દેખાવા લાગ્યું . તમે તમારા બીઝનેસ માટે મારી પાસે પૈસા લીધા, તમે કહ્યુ કે મમ્મી ને કહે હુ ક્યા રાખવાનો છુ , મે જો લગ્નમાં પણ કંઇ નહોતુ લીધુ તો હવે શું રાખીશ ? અને એ પણ જ્યારે તારા પપ્પા નથી .. થોડા થોડા કરતા ૬ લાખ મે આપી દીધા, હવે તમે કહી દીધુ કે મારો બિઝ્નેસ ન ચાલ્યો તો હું શું કરુ ? ને હવે હું કે મારી દીકરી શું બોલીયે ? તમારો ક્યાં કંઇ વાંક બીઝનેસ માં ખોટ થઈ તો ?

                  પણ મને એ સમજાઇ ગયુ કે જમાઇ નાં પ્રકાર નથી બદલાણા ખાલી દહેજ માંગવાની રીત બદલાઈ ગઈ છે..

   લી એક દીકરી ની મા...

No comments:

Post a Comment