ભારતદેશ ના બધા જ
છાપાનાં , મેગેઝીનો ના ( સ્ત્રી મેગેઝીન છોડીને ) બધા જ તંત્રીઓ
આ સાથે જણાવવાનું કે આપ માટે
એક ફરિયાદ છે . કે આપ આપના છાપા તો વેચો જ છો , પછી એ જ્ઞાતીનું પુસ્તક હોય તો તેનું
લવાજમ તો લ્યો જ છો તો પછી એમાં લખવા વાળા લેખકો કે લેખિકા ઓ ને તેનું વળતર કેમ
નથી અપાતું.. તેમના જ લખાણ થી તમારા છાપા કે પુસ્તક ભરાયા છે ને એમને જ કઈ નહિ ..મોટા લેખકો ને લેખિકાઓ પાસે તો તમારું કઈ
જ નથી ચાલતું ત્યાં તો તમે આપો જ છો. નવા લેખકો એ શું ભૂલ કરી છે , તે જરુરથી
જણાવશો , તંત્રીઓ ને અમે કહીએ છે તો અમને કહેવામાં આવે છે કે તમારી કૃતિ છાપીને તમારી પાસેથી અમે લેતા નથી એ જ બસ છે .તમારું
નામ તો થાય છે . એમાં એ પાછુ લેખકો પર ઉપકાર કર્યો હોય એવું લાગે . તો હવે તો એમ લાગે છે કે જેમને પૈસા ન મળતા હોય
એમણે આપવાનું જ બંધ કરવું જોઈએ . જે લોકો હકીકતમાં સેવા ખાતું કરે છે એમને આપવામાં
અમને કઈ જ વાંધો નથી પણ જે લોકો લવાજમ લેતા હોય કે પૈસા થી પોતાનું છાપું વેચતા
હોય એમને પોતાના હૃદય પર હાથ રાખીને વિચારવું જોઈએ કે શું તે લોકો જે કરી રહ્યા છે
એ બરોબર છે ? પેન, કાગળ ,કુરિયર ના કે પછી ઈમેઈલ મોક્લાવીયે તો લાઈટબીલ ના પૈસા તો
પડેને .. જો વિચારવા ની ઈચ્છા હોય તો વિચારજો કારણ પબ્લીશર્સ ને તંત્રી ઓ ની
પોતાની મરજી જ ચાલે છે .. મેં મારી એક લઘુનવલ કથા એક છાપા માં છપાવા માટે મોકલી,
તેમણે કહ્યું હતું કે બહેન બે મહિના પછી જવાબ આપશું , હું બે મહિના શાંત બેઠી રહી.
બે મહિના પછી મેં પૂછવાનું શરુ કર્યું તો છ મહીને જવાબ મળ્યો કે બહેન તમારી ફાઈલ
અમારાથી ખોવાઈ ગઈ છે .. શું કરી શકી હું ? કઈ જ નહિ. સમસમીને બેસવા સિવાય મારી
પાસે કોઈ રસ્તો નહોતો. કારણ મેં ભરોસો રાખ્યો હતો ને એમના પર, એ મારી ભૂલ હતી .
આવું બધું થાય છે એટલે જ ઈ-બુક તરફ દુનિયા વળી રહી છે કે જેમાં કમસેકમ લેખકોનું અપમાન
તો નથી થતું.. અથવા પોતાના બ્લોગ બનાવા કે જેમાં પૈસા પણ ન પડે અપમાન પણ ન થાય ને
પોતાની મરજી પ્રમાણે આપણે એને પબ્લીશ કરી શકીએ. છાપા અને પુસ્તકો બંધ થઇ જાય એની પહેલા જાગી જાવ ..નહિ તો લેખકોના ઘરે તમારે આટા મારવા પડશે હા એક
વાત કહેતા ભૂલી ગઈ કે સ્ત્રી મેગેઝીન વાળા ૧૨ મહિનામાં બે વાર્તા છાપે પણ જેવી
છાપે કે એમના તરફથી ચેક ને મેગેઝીન તરત આવી જાય..
લી એક લેખિકા
No comments:
Post a Comment