Thursday, August 29, 2013

મારો આઠમો પત્ર






આદરણીય સુષ્માસ્વરાજજી 
આખા બીજેપી માં તમે એક છો કે જે અમને ગમો છો..કે જે કોઈ પણ વાત બિન્દાસ બોલી શકે છે.. તો પછી સમજાતું નથી કે આશારામ ( બાપુ) ની વાતમાં તમે કેમ મૌન થઇ ગયા છો ? ક્યાય દેખાતા પણ નથી . સ્ત્રીઓની વાત આવે ત્યારે બીજાનું તો મને નથી ખબર પણ મારું માનવું છે કે જો તમે પાર્ટી ને હિસાબે વિચારવાની બદલીમાં ફક્ત સ્ત્રીઓ માટે સ્ત્રીઓની જેમ વિચારો તો તમારી માટે અમને માન વધશે.. બાકી તમારી મરજી ..નથી કોઈ સંત દેખાતા કે જે એમ કહે કે આશારામ ની સાથે અમે છીએ કે આશારામ ની સાથે અમે નથી . નથી કોઈ અભિનેતાક્યાય લખતા કે કેમ આશારામ હજી ફરે છે ..આમ તો રોજ કંઈક ને કઈક લખતા હોય છે.. મેં ક્યાંક વાંચ્યું હતું કે સમય પર જો મોટા લોકો મૌન રહે તો એમને મોટા માનવા નહિ . તો હવે તો કોઈ જ મોટા નથી રહ્યા એવું લાગે છે. . કારણ બધા જ મૌન છે.. અને જે બે ત્રણ લોકો બોલે છે એની વાત જાણે દીવાલ પર અથડાઈને પાછી આવે છે .. બસ બે મિનીટ બોલીને તે લોકો ચાલ્યા જાય છે ને આશારામ પ્લેન માં લાંબા પગ કરીને સફર કરે છે.. મેરા ભારત મહાન....લી ... એક અદનિ મતદાતા

No comments:

Post a Comment